
મારા વિશે
પરીચય છે મંદિર માં દેવોને મારો
અને મસિજદોમાં ખુદા ઓળખે છે
નથી મારું વ્યકિત્તવ છાનું કોઈ થી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે
– શૂન્ય પાલનપુરી
મારા આ દ્રિતિય ગુજરાતી બ્લોગ માં આપણું દિલથી સ્વાગત છે.નાનપણથી જ વાંચન અને લેખનનો મને શોખ રહ્યો છે, વ્યવસાયે વકીલ અને ‘યુવા રોજગાર’ નામના પાક્ષિક અખબાર નો તંત્રી છું. પરંતુ મને ગુજરાતી સાહિત્ય માં પહેલે થી જ રસ અને રુચિ રહ્યાં છે. મારા ઘણી ખરી કૃતિઓ ‘સમભાવ’, સંદેશ, રખેવાળ, નગર સંદેશ વિગેરે જેવા અખબારો માં તથા અખંડ આનંદ, સખી, હિન્દુ મિલન મંદિર, ચાહના, શબ્દ સૃષિટ, આરપાર વિગેરે ઘણાં બધા સામયિકો માં પ્રગટ થયેલ છે.
હું ગુજરાત નાં પાટણ જિલ્લા ના સિદ્ધપુર શહેર નો પણ હાલ માં ‘કચ્છ’જિલ્લા ના આદિપુર માં રહું છું.આ’કલમ પ્રસાદી’ ને બ્લોગ સ્વરુપે અહીં આપ સમક્ષ પ્રસ્તૃત કરતાં ઘણો જ આનંદ અનુભવું છું. આ મારા બ્લોગમાં મારી પોતાની રચેલ રચનાઓ કાવ્યો, ગઝલો, વાર્તાઓ,નવલિકા,નવલકથા વિગેરે ઉપરાંત કંઇક નવું જ પીરસ્સે જેવું કે કેરિયર, અભ્યાસ, એડમિશન,પર્સનાલિટી ડેવલોપમેન્ટ, પણ ખરાજ. સાથે અન્ય વિભાગ જેવા કે શેર શાયરી નો રસાસ્વાદ ‘મહેફિલ’ માં અને ‘હાસ્ય” નો જોકસ તથા કાર્ટુન વિભાગ માં માણશો.અને હા આપણાં અમૂલ્ય પ્રતિભાવો મોક્લવવાનું ભુલતાં નહીં.
તમારો મિત્ર,
પ્રવિણ કે.શ્રીમાળી ના વંદન
[–maola : premshrimali47@gmail.com
maara blaaoga ; http://kalamprsadi.blog.co.in
http://yuvarojagar.gujaratiblogs.com/
posted on June 14th, 2009 at 6:13 pm
posted on June 27th, 2009 at 3:35 am
posted on July 10th, 2009 at 4:47 am
posted on February 18th, 2010 at 10:30 am